બાળપણનાં સંભારણાં
Submitted by janmejay on Thu, 2014-10-23 18:35
દરેક માણસ પોતાની જિંદગીમાં કોઇ ન કોઇ વાર તો પોતાનું બાળપણ યાદ કરતો જ હોય છે . મનના કોઇ અજાણ્યા ખૂણામાં વિસરાયલી બાળપણની મધુર સ્મૃતીઓ વાગોળવી આપણને બધાને ગમતી હોય છે.
આજે મારે તમને બાળપણની વાતો કરવી છે. બાળપણની વાતો કરીએ ત્યારે શ્રી. જગજીતસિંઘની પ્રખ્યાત ગઝલનાં શબ્દો
અનાયાસે યાદ આવી જાય છે –
યે દૌલત ભી લે લો , યે શૌહરત ભી લે લો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગજકી કસ્તી , વો બારીશકા પાની ( 2 )
આ ગઝલ સાંભળીને આજે પણ દિલ ખુશ થઇ જાય છે ; ચાલો થોડા સમય માટે આપણે બધા જ આપણા બાળપણની સુમધુર યાદોને તાજી કરી લઇએ –